Ration card News : ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે — હવે રેશન કાર્ડ ઓળખ (ID Proof) કે રહેઠાણના પુરાવા (Address Proof) તરીકે માન્ય નહીં ગણાય. જાણો હવે ક્યાં ઉપયોગ કરી શકાશે અને ક્યાં નહીં.
રાજ્યના લાખો રેશનકાર્ડ ધરાવતા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે હવે એક મોટો ફેરફાર જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ હવે રેશન કાર્ડનો ઉપયોગ ઓળખ અથવા એડ્રેસ પ્રૂફ તરીકે કરી શકાશે નહીં.
પરિપત્ર જાહેર — હવે માત્ર અનાજ માટે માન્ય રેશન કાર્ડ | Gujarat Ration Card News

સરકારે જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હવે રેશન કાર્ડની માન્યતા ફક્ત રેશન મેળવવા અને જાહેર વિતરણ યોજના (PDS) હેઠળ સબસિડીવાળું અનાજ મેળવવા પૂરતી જ રહેશે.
બીજા કોઇ સરકારી અથવા ખાનગી પ્રક્રિયામાં રેશન કાર્ડ માન્ય દસ્તાવેજ ગણાશે નહીં.
ક્યાં-ક્યાં કામમાં નહીં આવે રેશન કાર્ડ?
આ નિર્ણય પછી હવે નીચેની સેવાઓ માટે રેશન કાર્ડ રજૂ નહીં કરી શકાય:
- બેંક ખાતું ખોલાવવું
- મોબાઇલ સિમ કાર્ડ મેળવવું
- સરકારી યોજનાઓ માટે અરજી
- અન્ય ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે ઉપયોગ
આ માટે હવે નાગરિકોને આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી ઓળખપત્ર (Voter ID) કે અન્ય સરકારી માન્ય દસ્તાવેજો જ બતાવવા પડશે.
શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?
સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયનો મુખ્ય હેતુ રેશન કાર્ડનો દુરુપયોગ રોકવો અને તેનું મૂળ કાર્ય ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવું છે.
હવે રેશન કાર્ડનો ઉપયોગ માત્ર અનાજ માટે જ થશે, બાકીની સેવાઓ માટે અન્ય ઓળખ પુરાવા ફરજિયાત રહેશે.
વિવિધ સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો. ઝડપી ન્યુઝ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલ જોઈન કરો.











